Friday, July 2, 2010

એટલા કડવા ના બનો જેથી લોકો થૂંકી નાખે

રત્ન કણિકા
 
એટલા કડવા ના બનો જેથી લોકો થૂંકી નાખે ,
એટલા મીઠા ના બનો જેથી લોકો ચાવી નાખે!
 
 
સ્મરણ કરવું આપના હાથની વાત છે અને જીવન મરણ પ્રભુના હાથની વાત છે!
 
 
લાકડાનો અગ્નિ લાકડાને બળે છે ,
તેમ દેહમાનો અગ્નિ દેહને બાળે છે!
આજના સુરજને આવતી કાલનાં વાદળ પાછળ છૂપાવવો તેનું નામ ચિંતા!
 
 
સ્વતંત્ર થાઓ પણ સ્વછંદી ના થાઓ ,
કરકસર કરો પણ કંજુસાઈ ના કરો,
ઉદાર બનો પણ ઉડાઉ ના બનો,
નમ્ર બનો પણ નમાલા ના બનો!


કપડા ભલે જીર્ણ પહેરો પણ દિલ કદી ફાટેલું રાખતા નહિ!
 
 
સ્વ માટે પ્રાથીએ તે તો માત્ર યાચના છે,
સૌ માટે યાચીએ તે સાચી પ્રાર્થના છે!
 
 
પ્રાર્થના આત્માનો ખોરાક છે!
નમ્રતા વિનાનો માણસ પાણી વગરની નદી જેવો છે!
 
 
જેની આંખોમાં અમી તેને દુનિયા ગમી,
જેની વાણીમાં અમી  તેને દુનિયા નમી!
 
 
જીવનનો આધાર વાણી અને પાણી પર છે!
ઈચ્છા દુખની માં છે!
 
 
ઉપવાસ તૂટે તો વાંધો નહિ ,
કોઈનું દિલ ના તૂટવું જોઈએ!
 
 
માણસ જન્મે ત્યારે ઝભલાને ખીંસુ નથી હોતું,
માણસ મરે ત્યારે કફનને ખીંસુ નથી હોતું!
 
 
અનુભવ મેળવવા કરતા અનુભવ મેળવીને જીવવું સારું છે!
 
 
ચારિત્ર એટલે સારી ટેવ, સારી ટેવ પાડવાથી જીવન સુંદર અને સુઘડ બને છે!
 
 
સાચી સુંદરતા હૃદયની આંખો દ્વારા જોઈ શકાય છે!
સાચી સુંદરતા કોમળમાં  છે અને કોમળતા અલંકારને વહી સકતી નથી!
 
 
ક્ષમા આપવી સારી બાબત છે પણ,
તેને ભૂલી જવું તેનાથી વધુ સારી વાત છે!
 
 
શરમ કરતા ભાઈબંધી વધારે કીમતી છે,
તેને ટકાવવા શરમનો દુરોપયોગ ના કરવો જોઈએ!

 
જીવન છે તો મુશ્કેલી છે અને મુશ્કેલી છે તોજ જીવનની કીમત છે!
 
 
જીવનના મુખ્ય ચાર સુખ છે:
પહેલું સુખ જાતે નર્યા,
બીજું સુખ ઘેર દીકરા,
ત્રીજું સુખ કોઠીએ જાર,
ચોથું સુખ સુલક્ષણનાર!
 
 
દુખના બે પ્રકાર છે:
એક કર્મ અનુસારનું આવી પડતું દુખ અને
બીજું બીજાના સુખની સરખામણીથી થતું દુખ!

 
જાગતાની સાથે મરણનું સ્મરણ કરો
જીવનનું  મહત્વ સમજાશે!
 
 
મને એજ સમજાતું નથી કે શાને આવું થાય છે,
ફૂલડાં ડૂબી જતાને પથરા  તારી જાય છે!
છે ગરીબોના કૂબામાં તેલ ટીપુંય દોહયલું
ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે!
 
 
ગરીબો શ્રીમંતોની નફરત કરતા હોય છે,
તેમ છતાં તે શ્રીમંત બનવા પ્રયત્ન કરતા હોય છે!
 
 
તિલક કરતા ત્રેપન ગયા, જપમાલાના નાકા ગયા,
ચાલી ચાલી થાક્યા ચર તોય ના પહોંચ્યા હરિના શરણ